પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે (C.R.Patil) છેલ્લા ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર (Saurashtra)ના ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવાસ કરીને પાર્ટીના કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ ઉપરાંત સમાજના વિવિધ જ્ઞાતિના આગેવાનો, વિવિધ મંદિરો અને આશ્રમોમાં જઈને દર્શન પણ કર્યા હતા. પાટીલે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણી (Assembly elections)માં તમામ બેઠકો પર વિજય મેળવવાનો એજન્ડા સેટ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં 26માંથી 26 બેઠકો આપણને કાર્યકરોની શકિતમાંથી જ મળી છે, એટલે મને તમારી શકિતઓ શું છે ? તે ખબર છે, તેમણે આગામી દિવસોમાં કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયોનાં લાભો જનજન સુધી પહોચે તે માટે પાર્ટી કાર્યકરે કડી સમાન બનવાનું છે, તેમ જણાવ્યું હતુ.
જ્યારથી સીઆર પાટીલ (CR Patil)ની પ્રદેશ અધ્યક્ષ તરીકેની નિમણૂક થઈ છે ત્યારથી તેઓમાં પાર્ટીને આગળ લઈ જવા માટેની ધગશ અને સકારાત્મકતા નજરે પડી રહી છે, સીઆર પાટીલ નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી એવી વ્યવસ્થા ગોઠવી છે કે જેના ભાગ રૂપે હવે સપ્તાહમાં બે વાર સોમવારે અને મંગળવારે મંત્રીઓ વારાફરતી ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય (Kamalam office at Gandhinagar)માં બેસશે. તેમને બેસવા માટે અલગ ઓફિસ આપવામાં આવશે. અહીં પાર્ટીનાં કાર્યકરો પોતાના પ્રશ્નો કે રજૂઆત કરી શકશે. તેનો જવાબ મંત્રીઓને લેખિતમાં આપવાનો રહેશે.