એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા નવી સંસદની લોકસભા બિલ્ડિંગની ઉપર અશોક સ્તંભના અનાવરણ સામે વાંધો ઉઠાવ્યો છે. ઓવૈસીએ ટ્વીટ કર્યું કે આ અધિકાર લોકસભા સ્પીકરને છે.
ઓવૈસીએ કહ્યું કે બંધારણમાં સંસદ, સરકાર અને ન્યાયતંત્રની શક્તિઓને અલગ-અલગ દર્શાવવામાં આવી છે. સરકારના વડા તરીકે પીએમ મોદીએ નવી સંસદ ભવન ઉપર રાષ્ટ્રીય ચિહ્નનું અનાવરણ કરવું જોઈતું ન હતું. તે લોકસભા અધ્યક્ષના અધિકારક્ષેત્રમાં આવે છે. સ્પીકર્સ સરકારને આધીન નથી. ઓવૈસીનો આરોપ છે કે પીએમએ તમામ બંધારણીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે પીએમ મોદી સરકારના વડા છે, લોકસભાના નહીં. તેથી તેણે તેનું અનાવરણ કરવાની જરૂર નહોતી.
અત્રે ઉલ્લેખનીય છે કે PM મોદીએ સોમવારે નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાંસ્યનું બનેલું કાંસ્ય ચિન્હ 9,500 કિગ્રા વજન ધરાવે છે અને તેની ઊંચાઈ 6.5 મીટર છે. તે નવી સંસદ ભવન ઉપર બનેલ છે.
તેને ટેકો આપવા માટે તેની આસપાસ લગભગ 6,500 કિલો વજનનું સ્ટીલનું માળખું બનાવવામાં આવ્યું છે.