આખરે ભારતમાં લુપ્ત થઈ ગયેલી ચિત્તાની પ્રજાતી 70 વર્ષ બાદ ભારતની ધરતી ઉપર જોવા મળી અને PM મોદીએ પોતાના જન્મદિવસે 8 ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા.
નામિબિયાથી ખાસ પ્લેન મારફતે આઠ ચિત્તાઓ ભારતની ધરતી ઉપર આવી પહોંચ્યા બાદ ચિનુક હેલિકોપ્ટર મારફતે કુનો નેશનલ પાર્કમાં લવાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હસ્તે યાંત્રિક બોક્સ ખોલીને ત્રણ ચિત્તાઓને ક્વોરેન્ટાઈન વાડામાં છોડ્યા હતા.
અહીં વડા પ્રધાન માટે 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મની નીચે પિંજરામાં ચિત્તાઓ હતા. પીએમએ લિવર દ્વારા બોક્સ ખોલ્યું હતુ અને ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા ત્યારબાદ તેઓએ તસવીરો લીધી હતી.
ચિત્તા પિંજરામાંથી બહાર આવતાં જ અજાણ્યા પાર્કમાં થોડા અપસેટ જણાતા હતા. પિંજરામાંથી બહાર આવતાં જ આમતેમ નજર ફેરવી અજાણ્યા પાર્કમાં આમતેમ ફરતા નજરે પડ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આપણે એવો સમય પણ જોયો છે જ્યારે પ્રકૃતિના વિનાશને શક્તિ પ્રદર્શનનું પ્રતીક માનવામાં આવતું હતું.
1947માં જ્યારે દેશમાં માત્ર ત્રણ ચિત્તા બચ્યા હતા ત્યારે તેમનો પણ શિકાર કરવામાં આવ્યો હતો,તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે 1952 માં આપણે ચિત્તાઓને લુપ્ત જાહેર કરી દીધા હતા, પરંતુ દાયકાઓ સુધી, તેમના પુનર્વસન માટે અર્થપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા નહીં. આજે આઝાદીના અમૃતમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિતાઓનું પુનર્વસન કરવામાં લાગી ગયો છે.
ભારતની 70 વર્ષની રાહ પૂરી થઈ છે. ચિત્તા શનિવારે સવારે નામિબિયાથી ભારત આવી પહોંચ્યા અને મોદીજીએ પાર્કમાં છોડ્યા હતા.