આજે મંગળવારે PM નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રાજ્યસભાને સંબોધિત કરતા કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ ને યાદ કરી ભાવુક થઈ ગયા હતા,આજે ગુલામ નબી આઝાદ સહિત ચાર સાંસદોને આજે ગૃહમાંથી વિદાય આપવામાં આવી રહી છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલામ નબી ની ખૂબ જ પ્રશંસા કરી હતી અને જણાવ્યુ કે ગુલામ નબી આઝાદ ની જગ્યા ભરવી મુશ્કેલ છે. જ્યારે હું ચૂંટણીના રાજકારણમાં નહોતો આવ્યો ત્યારે ગુલામ નબી આઝાદ અને હું જ્યારે લોબીમાં વાતો કરતા હતા તે વખતે પત્રકારોએ અમને જોયા તેજ વખતે કોઈ પત્રકાર કોઈ સવાલ કરે તે પહેલાં જ ગુલામ નબી આઝાદે પત્રકારોને જવાબ આવ્યો કે તમે ભલે નેતાઓને ટીવી પર લડતા જોતા હોવ, પરંતુ અહીં પરિવાર જેવો માહોલ હોય છે આ ઘટના નો ઉલ્લેખ કરતા મોદી ભાવુક થઈ ગયા હતા.
મોદીએ કહ્યું, ગુજરાતના યાત્રીઓ પર જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે સૌથી પહેલા મને ગુલામ નબી આઝાદનો ફોન આવ્યો હતો. એ ફોન ખાલી માહિતી આપવા માટેનો નહોતો, ફોન પર ગુલામ નબી આઝાદ ના અવાજ માં ખુબજ દુઃખ હતું,આંસુ હતા.
તેમણે જણાવ્યું હતું, એ સમયે પ્રણવ મુખર્જી રક્ષામંત્રી હતા, તો તેમને સેનાના પ્લેનની વ્યવસ્થા કરી આપવાની માગણી કરી હતી. એ દરમિયાન જ એરપોર્ટથી જ ગુલામ નબી આઝાદનો ફોન આવ્યો. જે રીતે પોતાના પરિવારના સભ્યની ચિંતા કરવામાં આવે છે એ જ રીતે આઝાદજીએ તેમની ચિંતા કરી હતી.
મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું, સત્તા તો જીવનમાં આવતી રહે છે, પરંતુ એને કેવી રીતે પચાવવી એ ગુલામ નબી આઝાદ પાસેથી શીખવાની જરૂર છે. એક મિત્ર તરીકે હું આઝાદજીનો ઘણો આદર કરું છું.
તેમણે વધુમાં કહ્યું હતું, ગુલામ નબી આઝાદ તેમના પક્ષની સાથે સાથે દેશનો પણ વિચાર કરે છે. તેમની જગ્યા ભરવી કોઈના માટે સરળ નથી.
આમ આજે પોતાના સંબોધન દરમિયાન મોદીજી એ આ રીતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું.