આમ આદમી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના દ્વારા વડાપ્રધાનની ડિગ્રીને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. એટલુંજ નહિ પણ કેજરીવાલે ગુજરાત હાઈકોર્ટમાં પણ વડાપ્રધાનની ડિગ્રીની માંગણી કરી હતી, જેના માટે તેમને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
આ બધા ઉપાહોહ વચ્ચે શરદ પવારે વિપક્ષની ટીકા કરી હતી અને સલાહ આપી છે કે આ કોઈ મુદ્દો નથી.
નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અને વરિષ્ઠ નેતા શરદ પવારે ફરી એકવાર વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા મુદ્દા પર નારાજગી વ્યક્ત કરી છે. વાસ્તવમાં, વિપક્ષ દ્વારા PM મોદી ડિગ્રીને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.
શરદ પવારે તેની ટીકા કરી છે અને કહ્યું છે કે આ કોઈ મુદ્દો નથી અને વિપક્ષના નેતાઓ તેના પર પોતાનો સમય બગાડે છે. તેમણે કહ્યું કે દેશ ઘણી મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમના પર ધ્યાન આપવાની જરૂર છે. અગાઉ, શરદ પવારે પણ અદાણી કેસ પર વિપક્ષના વલણની ટીકા કરી હતી અને જેપીસીની માંગને ફગાવી દીધી હતી.