કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના પણ 9 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં ભાજપના વિકાસની સિદ્ધિઓ વર્ણવતા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે ત્યારે રાજસ્થાનમાં પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર નિશાન સાધી પ્રહારો કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યું હતું કે, 50 વર્ષ અગાઉ કોંગ્રેસે આ દેશમાંથી ગરીબી દૂર કરવાની ગેરંટી આપી હતી.
જે ગરીબો સાથે અત્યારસુધીનો કોંગ્રેસનો સૌથી મોટો વિશ્વાસઘાત હતો.
પીએમ મોદીએ કહ્યું હતું કે, દેશમાં 2014માં જનતાના એક વોટથી વિકાસ નક્કી થયો.
આજે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થઈ રહી છે. આજે વિશ્વના જાણીતા નિષ્ણાતો કહી રહ્યા છે કે, આજે ભારત ‘અતિ ગરીબી’ નાબૂદ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આ પરિવર્તન એક વોટથી આવ્યું છે
પીએમ મોદીએ અજમેર ખાતે એક રેલી દરમિયાન કહ્યું હતું કે, કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારના પણ 9 વર્ષ પૂર્ણ થયા છે. ભાજપ સરકારના આ 9 વર્ષ દેશવાસીઓની સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણ માટે સમર્પિત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના અજમેર જિલ્લામાં પુષ્કરના બ્રહ્મા મંદિરે પણ પહોંચ્યા હતા જ્યાં તેઓએ બ્રહ્મા મંદિરમાં 15 મિનિટ પૂજા અર્ચના કરી હતી. નોંધનીય છે કે ભગવાન બ્રહ્માનું આ એકમાત્ર મંદિર અહીં આવેલું છે.
અજમેરમાં રેલી દરમિયાન રાજસ્થાન ભાજપના વડા સીપી જોશીએ પીએમ મોદીનું પાઘડી પહેરીને સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધન દરમિયાન દેવી અહિલ્યાબાઈ હોલકરને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદી અનેક શહેરોમાં રેલીઓ યોજીને પક્ષની સિદ્ધિઓ વર્ણવી હતી.