કોરોના ની હાડમારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આજે ત્રીજી વખત મન કી બાતના કાર્યક્રમ થકી દેશને સંબોધિત કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું કે અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો ખુલી ગયો હોઈ હવે વધુ સાવધાની રાખવાની જરૂરિયાત ઉપર ભાર મૂકી બે ગજનું અંતર, માસ્ક પહેરવા સહિત યોગા, સ્વચ્છતા ,આયુર્વેદ ઉપચાર અને ડિસ્ટનિંગ ઉપર ભાર મુકી દેશની વસ્તી વધુ હોય આ કારણે પડકારો પણ વધુ છે, જે કઈ આપણે બચાવી શકયા છીએ તે સામુહિક પ્રયત્નોથી સફળ થયું છે. આ સમગ્ર પ્રોસેસ પીપલ ડ્રિવન છે. તેઓ એ પર્યાવરણ દિવસ ની શુભકામના વ્યક્ત કરી લોકડાઉન માં જળ,પર્યાવરણ માં આવેલ બદલાવ અને વન્ય પશુ,પક્ષીઓ ના વર્તન તેમજ પોલ્યુશન ઓછું થવું વગરે બાબતો નો ઉલ્લેખ કરી આવુ વાતાવરણ જાળવી રાખવા સહિત ચોમાસા ના પાણી ને બચાવવા ઉપર ભાર મૂકી પશ્ચિમ બંગાળ માં આવેલ વાવાઝોડા ની મુલાકાત અને સંકટ અંગે વાત કરી હતી. તેઓ એ કોરોના જંગ માં હજુપણ જનતા ને લડવા માટે સહયોગ ની અપીલ કરી હતી.
Saturday, May 18