દેશ ના પીએમ નરેન્દ્ર મોદીએ આજે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો અને જનતા ને વેકશીન લેવા જાહેર અપીલ કરી હતી.
મોદીજી એ એમ્સ ખાતે નવી દિલ્હીમાં કોવેક્સિનનો બીજો ડોઝ મુકાવ્યો હતો નોંધનીય છે કે તેઓ એ કોરોના વેકેશિન નો પ્રથમ ડોઝ ગત તા. 1 માર્ચે લીધો હતો. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા તેમણે અન્ય લોકોને પણ વેક્સિન લેવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું, ‘વેક્સિનેશન એ કેટલીક રીતોમાંની એક છે જેના દ્વારા કોરોનાને પરાજિત કરી શકાય છે. તેથી જો તમારે વેક્સિન લેવા લાયક છો, તો તરત જ વેક્સિન મુકાવો.’વડાપ્રધાન મોદીએ પ્રથમ ડોઝ લગાવ્યાના 37 દિવસ બાદ આજે કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.
દેશ માં કોરોના ના કેસો વધતા પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ થી દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે બેઠક કરશે. વડાપ્રધાન આ બેઠકમાં દેશભરની કોરોનાની પરિસ્થિતિની સમિક્ષા કરશે.
Sunday, May 19