દેશમાં ચાલી રહેલા ખેડૂતો ના આંદોલન મામલે સરકાર અને ખેડૂતો બંને માંથી કોઈ પીછેહઠ કરવા તૈયાર નથી ત્યારે પીએમ મોદી નું નિવેદન સામે આવ્યુ છે. પીએમ મોદી એ ખેડૂતો ને અપીલ કરતા કહ્યું કે આંદોલનકારીઓને સમજતા અમારે આગળ વધવાનું છે, ગાળોને મારા ખાતામાં જવા દો પરંતુ સુધારાને થવા દો. પીએમ મોદીએ કહ્યું કે વડીલો આંદોલનમાં બેઠા છે, તેઓને ઘરે જવું જોઇએ. આંદોલન પુરુ કરો અને ચર્ચા આગળ ચાલતી રહે. ખેડૂતો સાથે સતત વાતચીત ચાલી રહી છે.
જોકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આંદોલન પૂર્ણ કરવાની અપીલ પર ખેડૂત નેતા રાકેશ ટીકૈતનું નિવેદન સામે આવ્યું છે. ટિકૈત કહ્યું કે MSP પર સરકાર કાયદો બનાવે, નાના ખેડૂતો જ પ્રદર્શન કરી રહ્યાં છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે મે એ માગ કરી છે કે MSP પર સરકાર કાયદો બનાવે. MSP પર કાયદો બનશે તો દેશના ખેડૂતોને ફાયદો થશે. આ આંદોલનમાં નાના ખેડૂતો જ પ્રદર્શન કરી રહ્યાં છે.
રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર સાથે અમારી કમિટી વાત કરશે. આ રાજકીય આંદોલન નથી. આમ ખેડૂત આંદોલન મામલે સ્થિતિ યથાવત રહેવા પામી છે.
Saturday, May 18