17 સપ્ટેમ્બર એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) જન્મદિવસ છે. આ વર્ષે પીએમ મોદી 70 વર્ષના થઈ જશે. તેથી ભાજપ (BJP) આ પ્રસંગને યાદગાર બનાવવા માંગે છે. આ વખતે પણ તેમનો જન્મદિવસ ‘સેવા દીવસ’ તરીકે ઉજવાશે. કોરોનાવાયરસના (Corona Virus) વધતા સંક્રમણને કારણે, તેમનો જન્મદિવસ સરળતા સાથે ઉજવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કોઈ એવો કાર્યક્રમ યોજવામાં આવશે નહીં જ્યાં વધુ ભીડ હોય. તેમના જન્મદિવસ પર માસ્ક, સેનિટાઇઝર અને દવાઓનું વિતરણ કરવાની તૈયારીઓ ચાલુ છે. આ ઉપરાંત રક્તદાન શિબિર પણ યોજવામાં આવશે.
70 માં જન્મદિવસ પર 70 કાર્યક્રમો
તાજેતરમાં જ પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને જનરલ સેક્રેટરી વચ્ચે બેઠક થઇ હતી. આ સમય દરમિયાન, નિર્ણય લેવામાં આવ્યો છે કે 70 મા જન્મદિવસ નિમિત્તે 70 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો બૂથ અને મંડળ કક્ષાએ યોજાશે. એટલું જ નહીં, આ દરમિયાન ભાજપ, લોકોને મોદી સરકાર દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન કરવામાં આવેલા કામો વિશે પણ જણાવશે. કોરોના વાયરસને રોકવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અને આત્મનિર્ભર ભારત જેવા પીએમ મોદીના વિઝન વિશે પણ જણાવવામાં આવશે.
સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન
એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી તેના કેડરને કડક આદેશો પણ આપશે કે જન્મદિવસની ઉજવણી કરતી વખતે કોઈ પણ સંજોગોમાં કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન ન થવું જોઈએ. એટલે કે, દરેક પરિસ્થિતિમાં સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવામાં આવશે. જણાવી દઈએ કે ગયા વર્ષે વડા પ્રધાનના જન્મદિવસની ઉજવણી એક અઠવાડિયા સુધી ચાલી હતી. 14 થી 20 સપ્ટેમ્બર સુધી એક અઠવાડિયાની સેવા તરીકે ઉજવાયો હતો.