ભારતમાં આદિકાળથી અપનાતી યોગ વ્યવસ્થા દુનિયાભરમાં કોવિડ 19ના દર્દીઓને આ રોગને મ્હાત કરવામાં મદદરૂપ થઈ રહી છે, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગ દિવસ પર જણાવ્યું હતું.કોરના વાયરસ આપણા શરીરના શ્વસનતંત્ર પર સીધો પ્રહાર કરે છે અને પ્રાણાયમ અથવા શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયાથી આપણે તેને વધુ મજબૂત કરી શકીએ છે તેમ પીએમએ છઠ્ઠા આંતરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. યોગ એકતાની તાકાત તરીકે ઊભરી આવ્યો છે અને તે કોઈ પણ પંથ, રંગ, જાતિ, આસ્થા અથવા રાષ્ટ્ર વચ્ચે ભેદભાવ નથી ધરાવતો અને તે તેનાથી પર છે.
‘યોગ તંદુરસ્ત સૃષ્ટિની ઈચ્છામાં વધારો કરે છે. તે એકતાની તાકાત બનીને ઊભર્યો છે અને માનવતાના સંબંધોને વધુ ગાઢ બનાવે છે. તે મતભેદ નથી કરતો. કોઈપણ યોગને અપનાવી શકે છે,’ તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું. પીએમે ઉમેર્યું કે, કોરોના વાયરસ મહામારીને પગલે દુનિયાભરમાં લોકો યોગની ખૂબ જરૂરિયાત જણાય રહી છે અને તેના મહત્વને સમજી રહ્યા છે. જો આપણી રોગપ્રતિકારકશક્તિ સારી છે તો તે આ મહામારીને હરાવવામાં મદદરૂપ થશે. યોગના વિવિધ આસનો દ્વારા આપણે રોગપ્રતિકારકશક્તિમાં વધારો કરી શકીએ છે. યોગના આ આસનો વડે આપણે શરીરે આરોગ્યમય બનાવી શકીએ છીએ તેમજ તેનાથી મેટાબોલીઝમ પણ સારું રહે છે.