રામ મંદિર ભૂમિ પૂજનને માટે અયોધ્યામાં દિવાળીનો માહોલ જામી ગયો છે. પીએમ મોદી અયોધ્યા આવવા નીકળી ચૂક્યા છે. ભૂમિપૂજનનું શુભ મૂહૂર્ત 12.44 મિનિટનું છે. ઉલ્લેખનીય છે કે આ મૂહૂર્ત ફકત 32 સેકંડનું છે. અહીં ખાસ સુરક્ષા સાથે પીએમ મોદી પહોંચશે. રામ જન્મભૂમિ પરિસર અને આસપાસના વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે.
રામ જન્મભૂમિ પરિસરમાં સુરક્ષાને લઈને તમામ બંદોબસ્ત એસપીજીએ સંભાળી છે. સુરક્ષાના આધારે સિક્યુરિટી કોડથી એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ છે. આજે હનુમાનગઢીમાં પીએમ મોદી હાજર રહેશે ત્યારે અયોધ્યા તરફથી ચાંદીનો મુગટ અને ગમછો ભેટમાં આપવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં રામ મંદિરમાં ભૂમિપૂજન કરવાના છે. આ માટે તેઓ સવારે 11.30 મિનિટે અયોધ્યા સાકેત વિદ્યાલય હેલીપેડથી પહોંચશે. અહીં 150 જેટલા પોલીસકર્મીઓ તેમની સુરક્ષામાં રહેશે.