નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભૂમિપૂજનમાં ભાગ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી અયોધ્યામાં ભૂમિપૂજનમાં હાજરી આપી શકે છે.
આ અગાઉ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 18 જુલાઈ, શનિવારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં ભૂમિપૂજનની તારીખ શું હોવી જોઈએ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી 3 ઓગસ્ટ અને 5 ઓગસ્ટની તારીખ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) ને મોકલવામાં આવી હોવાના અહેવાલ છે. જો કે સૂત્રોએ જણાવ્યું છે કે, વડાપ્રધાન 5 ઓગસ્ટે અયોધ્યાની મુલાકાત લઈ શકે છે. તેથી, ભૂમિપૂજનનો કાર્યક્રમ આ દિવસે પૂર્ણ થવાની અપેક્ષા છે.
વડાપ્રધાનનો પ્લાન તૈયાર
સૂત્રોએ જાણીતા મીડિયાને જણાવ્યા મુજબ, રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમ 5 ઓગસ્ટે સવારે 8 વાગ્યે શરૂ થઈ શકે છે. વડાપ્રધાન મોદી તે દિવસે બપોરે 11 થી 1 દરમિયાન પહોંચી શકે છે. પીએમઓના સૂત્રો કહે છે કે તેનો સમગ્ર પ્લાન લગભગ તૈયાર થઈ ગયો છે.