PM Modiએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં બનેલી ઘટનાને દર્દનાક ગણાવી છે. દરમિયાન, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.
PM Modi એ આ અંગે ટ્વિટ કર્યું છે પીએમ મોદીએ કહ્યું, ‘ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં બનેલી ઘટના ખૂબ જ દર્દનાક છે. હું ઘાયલ ભક્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તમામ શક્ય મદદ કરી રહ્યું છે.
उज्जैन के महाकाल मंदिर में हुई दुर्घटना अत्यंत पीड़ादायक है। इस हादसे में घायल सभी श्रद्धालुओं के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 25, 2024
મધ્યપ્રદેશના CMએ શું કહ્યું?
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે કહ્યું કે, ભગવાનની કૃપાથી કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. એક રીતે આ એક ખતરાની ઘંટડી છે, અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. હું ઉજ્જૈન અને ઈન્દોર બંને જગ્યાએ ઘાયલ લોકોને મળ્યો છું. મેં તપાસના આદેશ આપ્યા છે. ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવશે અને અમે વહીવટીતંત્રને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા આપીને તમામને મદદ કરવા જણાવ્યું છે. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે અમે જરૂરી પગલાં લઈશું.
महाकाल मंदिर में हुई दुर्घटना में घायल व्यक्तियों का इंदौर के अरबिंदो अस्पताल पहुंचकर कुशलक्षेम जाना एवं डॉक्टरों से चर्चा की।
इस दौरान नगरीय विकास एवं आवास मंत्री श्री @kailashOnline जी भी उपस्थित रहे। pic.twitter.com/dzQb5xPREc
— Dr Mohan Yadav (Modi Ka Parivar) (@DrMohanYadav51) March 25, 2024
ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર આ ઘટના વિશે પોસ્ટ કરીને કહ્યું, ‘મુખ્યમંત્રી મોહન યાદવ સાથે વાત કરી છે અને ઉજ્જૈનના શ્રી મહાકાલ મંદિરમાં આગની ઘટના અંગે માહિતી મેળવી છે. સ્થાનિક પ્રશાસન ઘાયલોને મદદ અને સારવાર આપી રહ્યું છે. હું બાબા મહાકાલને પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સાજા થાય.
उज्जैन के श्री महाकाल मंदिर में आग लगने की घटना के संबंध में मुख्यमंत्री श्री @DrMohanYadav51 जी से बात कर जानकारी ली। स्थानीय प्रशासन घायलों को सहायता व उपचार उपलब्ध करवा रहा है। मैं बाबा महाकाल से घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूँ।
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) March 25, 2024
આજે સીએમ મોહન યાદવનો પણ જન્મદિવસ છે. અમિત શાહે પણ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શાહે કહ્યું, ‘મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં રાજ્ય પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધતું રહેશે. હું તમારા સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.