ઈન્ડિયા બિઝનેશ કાઉન્સીલ આ સમિટનું આયોજન કર્યું હતું જેમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતું કે, ભારતામાં હાલ રોકાણ કરવાનો સારામાં સારો અવસર છે. . તેમણે જણાવ્યુ હતું કે, ક્યા ક્યા સેક્ટરમાં રોકાણના સારા અવસર છે. ભારતમાં રોકાણ કરવાનો આનાથી વધારે સારો સમય બીજો એકેય ન હોય શકે. યુએસ ઈન્ડિયા બિઝનેશ કાઉન્સીલ આ સમિટનું આયોજન કરી રહ્યું છ. આ વર્ષે યુએસ ઈન્ડિયા બિઝનેશ કાઉન્સીલના 45 વર્ષ પૂરા થશે. આ તકે, આ ખાસ કાર્યક્રમને આયોજીત કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ કાર્યક્રમમાં ભારત અને અમેરિકાના લોકોને સંબોધિત કર્યાં છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરે છે. ભારત પોતાને ગેસ બેઝ્ડ ઈકોનોમીમાં બદલી રહ્યો છે. આ ક્ષેત્રમાં અમેરિકાની કંપનીઓને અવસર મળી રહેશે.
પીએમ મોદીએ કહ્યું કે, યુએસઆઈબીસી આ વર્ષે પોતાની 45મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. વધુમાં કહ્યું કે, અમે આ વાત ઉપર સહમત છીએ કે દૂનિયાનાને સારા ભવિષ્યની જરૂરત છે. આપણે બધાને સાથે લઈને સારૂ ભવિષ્ય દેવું પડશે. હું સંપૂર્ણ પણે માનું છું કે, ભવિષ્યને લઈને અપ્રોચ માનવ કેન્દ્રીત હોવો જોઈએ.
મૈન્યુફેકચરીગમાં ઘરેલુ ક્ષમતા વધારવી પડશે. વિત્તીય સંસ્થાઓને મજબૂત કરવી પડશે, આજે દૂનિયા ભારતની તરફ જોઈ રહી છે. એટલા માટે કે ભારત આઝાદી, અવસરો અને ટેકનીકનું મિક્ષણ છે.