લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વધુ પ્રમાણમાં મતદાન કરવા માટે અપીલ કરી છે. જેના માટે તેમણે ‘વોટ કર’ કેમ્પનની શરૂઆત પણ કરી છે. ટ્વિટર પર દેશના લોકોને મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે અપીલ કરી છે. સાથે જ વડાપ્રધાને વિવિધ ક્ષેત્રની મોટી અને દિગ્ગજ હસ્તીઓને લોકોને મતદાનનો મહત્વ સમજાવવા પણ અપીલ કરી છે.
પીએમ મોદીએ કહ્યું કે,લોકોએ સુનિશ્વિત કરે કે તેમના પરિવારજનો અને મિત્રો મતદાનમાં ઉત્સાહથી ભાગ લે. તેમણે એમ પણ કહ્યું કે,લોકો દ્વારા આવું કરવાથી દેશના ભવિષ્ય પર સકારાત્મક અસર પડશે. સાથે જ લોકોને અપીલ કરી છે કે, જો તમે વોટરોને જાગૃત કરવા માટે કોઇપણ નવી ઝુંબેશ કરી રહ્યા છો તો તેની માહિતી #VoteKar પર શેર કરો.
વડાપ્રધાને મીડિયાની પણ કેટલીક મોટી હસ્તીઓને પોતાના ટ્વિટમાં ટેગ કરી લોકોને વોટિંગ કરવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી. પીએમ મોદીએ બોલિવૂડ દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર, અજય દેવગન અને માધુરી દીક્ષિતને પણ ટેગ કરી કહ્યું કે, બોક્સ ઓફિસ પછી પોલિંગ બૂથો પર ‘ટોટલ ધમાલ’નો સમય આવ્યો છે. વોટ કર મૂવમેન્ટમાં તમારા સ્પોર્ટથી ભારતના લોકતંત્રનું ભવિષ્ય સમૃદ્ધ થશે.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર, કબીર બેદી અને ફિલ્મ નિર્માતા શેખર કપૂરને થી લઇ હ્રતિક રોશન અને આર. માધવન જેવા સ્ટારને પણ ટેગ કરી લોકોવે વૈશ્વિક સ્તરે ભારતનું માન અને સમ્માન વધારવા માટે મતદાન કરવા માટે અપીલ કરી છે. વડાપ્રધાને તેમનાથી અપીલ કરતા કહ્યું કે દેશવાસીઓને વધુમાં વધુ સંખ્યામાં મતદાન માટે પ્રેરિત કરે.