PM Modi ઓપરેશન સિંદૂરથી વસુધૈવ કુટુંબકમ સુધી: પીએમ મોદીની દૃઢ પ્રતિબદ્ધતા
PM Modi શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધીજી વચ્ચેની ઐતિહાસિક મુલાકાતના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત સમારંભમાં પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમણે માત્ર આ પ્રેરણાદાયક ભવિષ્યદર્શી વાર્તાને યાદ નહીં કરી, પણ ભારતની હાલની સુરક્ષા નીતિ અને વૈશ્વિક નેતૃત્વ પર પણ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો.
ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર કડક સંદેશ
પીએમ મોદીએ જણાવ્યું કે તાજેતરમાં યોજાયેલ “ઓપરેશન સિંદૂર” દ્વારા ભારતે ફરીથી સાબિત કર્યું કે હવે આતંકવાદ સામેના મુકાબલામાં દેશ એક પંક્તિએ ઉભો છે.
તેમણે કહ્યું, “ભારતીયોનું લોહી વહાવનારાઓ માટે દુનિયામાં કયાંય પણ જગ્યા નથી. અમે માત્ર જવાબ આપતા નથી, પરંતુ ધમાકેદાર જવાબ આપીએ છીએ.”
22 મિનિટના ઓપરેશનમાં ભારતે પોતાની લશ્કરી ક્ષમતા પણ વિશ્વ સમક્ષ સ્પષ્ટ કરી છે અને “મેડ ઈન ઇન્ડિયા” સાધનો દ્વારા સફળતા મેળવી છે.
શ્રી નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધીના આદર્શોની સ્મૃતિ
પ્રધાનમંત્રીએ કહ્યું કે 100 વર્ષ અગાઉ શ્રી નારાયણ ગુરુ અને ગાંધીજી વચ્ચે થયેલી મુલાકાત માત્ર ઐતિહાસિક નથી, પણ આજે પણ સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તેમણે જણાવ્યું કે શ્રી નારાયણ ગુરુના આદર્શો આજના શોષિત, પીડિત અને વંચિત વર્ગ માટે આશાનો કિરણ છે. તેઓ એવા મહાન સંત હતા જેમણે આધ્યાત્મિક જાગૃતિ અને સામાજિક સુધારાને એકસાથે આગળ વધાર્યા.
વિશ્વ યોગ દિવસ અને વૈશ્વિક નેતૃત્વ
પીએમ મોદીએ વિશ્વ યોગ દિવસની થીમ “એક પૃથ્વી, એક આરોગ્ય” પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારત આજે વૈશ્વિક સ્તરે “એક ગ્રીડ, એક ફ્યુચર” જેવી પહેલ દ્વારા સતત નેતૃત્વ આપી રહ્યું છે.
તેમણે યાદ અપાવ્યું કે ભારતે G20 સમિટ દરમિયાન પણ “વસુધૈવ કટુંબકમ”ના ભાવને થીમ બનાવી, સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જોવાનો સંદેશ આપ્યો.