પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને આજરોજ કેબિનેટ કમિટી ઓન સિક્યુરીટી (સીસીએસ)ની આજરોજ બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલામાં 44 જવાન શહિદ થયા છે.
ત્યારે સરકાર દ્વારા હવે આતંકીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની દેશભરમાંથી માગ ઉઠી રહી છે ત્યારે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી સીસીએસની બેઠકમાં કેન્દ્રિય ગૃહપ્રધાન, વિદેશ મંત્રી, રક્ષા પ્રધાન તેમજ નાણાં પ્રધાન ઉપસ્થિત રહેશે.
એક મળતાં અહેવાલ મુજબ આ બેઠકમાં આતંકી હુમલાને લઇને જડબાતોડ જવાબ આપવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર આ મામલે સુરક્ષા એજન્સી તેમજ ટોપ ઓફિસરની સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ પાસે આ મામલા સંપૂર્ણ જાણકારી મેળવી છે. તેની સાતે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ઇન્ટેલીજન્સ બ્યૂરોના નિદેશક તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે નિવેદન આપ્યું હતું કે આ હુમલા પાછળ પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદનો હાથ છે. આ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.