‘સ્વચ્છ ભારત મિશન’ પીએમ મોદી દ્વારા ચલાવવામાં આવી રહેલું સૌથી મહત્વનું અભિયાન છે. આમતો પીએમ મોદીના ‘સ્વચ્છ ભારત મિશન’ને લઈને પ્રશાસન અને અધિકારીઓ ધણા પ્રકારના દાવાઓ કરતા રહે છે. પરંતુ સ્વચ્છ ભારત મિશન હેઠળ બનેલા શૌચાલયમાં ખરાબ સામગ્રીનો ઉપયોગ કરીને લોકોના જીવ સાથે રમત કરવામાં આવી રહી છે.
લગભગ ડોઢ વર્ષ પહેલા આ યોજના હેઠળ બનેલા એક શૌચાલયની છત અચાનકથી પડી ગઈ અને તેના કાટમાળ હેઠળ દબાઈ જવાના કારણે એક વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી. આ મામલામાં ડીપીઆરઓને મળેલી ફરિયાદના આધારે બ્લોક સ્તર પર તપાસ હાથ ધરવામાં આવી ગઈ છે.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ બનાવેલું એક શૌચાલય અચાનકથી ભાગી પડ્યું જેમાં તેના કાટમાળ હેઠળ દબાઈ જવાના કારણે એક વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી. ઘટના સમયે જીવન રામ સિંહ તેની અંદર જ હતા. ત્યારે જ શૌચાલય પડી ગયું. ધાયલ વૃદ્ધને મુરાગાબાદના સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
ઘાયલ વૃદ્ધ જીવન રામ સિંહની પૌત્રીએ આ ઘટનાને લઈને જણાવ્યું કે ડોઠ વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન અંતર ગત ગ્રામ પ્રધાન અને સેક્રેટરી દ્વારા તેમનું શૌચાલય બનાવવામાં આવ્યું. તેના નિર્માણમાં ખરાબ સામગ્રીનો ઉપયોગ કરીને ગ્રામ પ્રધાન અને સેક્રેટરીએ પૈસા ખઈ લીધા.