વડાપ્રધાન મોદી મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળાના મુખ્યમંત્રીઓ સાથે આગામી 27 જુલાઈના રોજ કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરશે.પીએમ મોદી કોરોનાની વણસતી પરિસ્થિતિ અંગે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન પણ હાજર રહેશે અને મુખ્યમંત્રીઓ સાથે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી, રાજ્યના ચીફ સેક્રેટરી હાજર રહેશે.
27 જુલાઈએ વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી નોઈડા, કલકત્તા અને મુંબઈમાં ICMRની ત્રણ નવી લેબનું ઉદ્ધાટન કરશે. આ દરમિયાન ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ જોડાયેલા હશે.