CAA: કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAA લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે, નાગરિકતા સંશોધન કાયદો હવે દેશભરમાં લાગુ થઈ ગયો છે. જે બાદ રાજકારણ ગરમાયું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયની ટીકા પણ થઈ રહી છે. દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર પ્રેસ કોન્ફરન્સ કરશે.
નાગરિકતા સંશોધન કાયદો શું છે?
નાગરિકતા સંશોધન બિલ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ગેરકાયદેસર વસાહતીઓને નાગરિકતા માટે પાત્ર બનાવવા માટે નાગરિકતા અધિનિયમ, 1955 માં સુધારો કરે છે.
નાગરિકતા સંશોધન બિલ 9 ડિસેમ્બર 2019 ના રોજ લોકસભામાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. 9 ડિસેમ્બર 2019 ના રોજ જ ગૃહ દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ 11 ડિસેમ્બર 2019 ના રોજ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.
નવા કાયદામાં શું છે જોગવાઈઓ?
નાગરિકતા કાયદો નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતા પ્રદાન કરે છે. અરજદાર છેલ્લા 12 મહિના દરમિયાન અને છેલ્લા 14 વર્ષમાં 11 મહિના ભારતમાં રહેતો હોવો જોઈએ. કાયદો છ ધર્મો (હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) અને ત્રણ દેશો (અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન) સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે 11 વર્ષથી છ વર્ષ સુધીનો સમયગાળો લંબાવે છે.
કાયદો એ પણ જોગવાઈ કરે છે કે જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારકોની નોંધણી રદ કરી શકાય છે.