વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) બુધવારે કોવિડ-19 (Covid-19) પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કોરોનાના સૌથી સાત અસરગ્રસ્ત રાજ્યોના (corona infection state) મુખ્ય મંત્રીઓ અને આરોગ્ય પ્રધાનો સાથે ઉચ્ચ-સ્તરની વર્ચ્યઅલ બેઠકની (Virtual Meeting) અધ્યક્ષતા કરશે. આ રાજ્યો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબ છે, એમ સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં (India) 63 ટકાથી વધુ સક્રિય કેસ આ સાત રાજ્યોમાં કેન્દ્રિત છે. આ રાજ્યોમાં કુલ પુષ્ટિ થયેલા કેસો 65.5 ટકા અને કુલ મૃત્યુ 77 ટકા છે.
અન્ય પાંચ રાજ્યોની સાથે સાથે, પંજાબ અને દિલ્હીમાં તાજેતરમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં વધારો થયો છે. મહારાષ્ટ્ર, પંજાબ અને દિલ્હીમાં 2 ટકા કરતા વધારે મૃત્યુદર નોંધાયો છે. પંજાબ અને ઉત્તર પ્રદેશ સિવાય અન્ય રાજ્યમાં પોઝિટિવ દર રાષ્ટ્રીય સરેરાશ 8.52 ટકાથી ઉપર હોવાનું મનાય છે.
કેન્દ્રએ ઉમેર્યું હતું કે, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે અસરકારક સહયોગ અને ગાઢ સંકલન થકી કોવિડ -19 સામે લડત આગળ ધપાવી રહી છે. કેન્દ્ર સરકાર હેલ્થ કેર (Health Care) અને તબીબી માળખાગત સુવિધાઓ (Medical infrastructural facilities) વધારવા માટે તેમનું સમર્થન કરી રહી છે, જ્યારે આરોગ્ય મંત્રાલય દ્વારા એઈમ્સ, નવી દિલ્હીના (AIIMS, New Delhi) સહયોગથી હાથ ધરાયેલી ઇ-આઇસીયુ ટેલિ-પરામર્શ કવાયત દ્વારા આઇસીયુ સંભાળનારા ડોકટરોની ક્લિનિકલ મેનેજમેન્ટ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.