છત્તિસગઢના સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં નવ જવાન શહીદ અને 4 જવાન ઘાયલ થયા છે. જેમાથી ત્રણ જવાનની હાલત ગંભીર છે. 100થી વધારે નકસલીઓએ ઘટનાને અંજામ આપ્યો. નક્સલીઓએ તેમની રણનીતિને અંજામ આપવા માટે કિસ્તરામ અને પલોદી વચ્ચે રસ્તાને નીશાન બનાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શહીદોને શ્રદ્ધાંજલી આપી. સરકારે શહીદોને પૂરા રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહને વતન પહોંચાડવાની કાર્યવાહી કરી. છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહે શહીદોને શ્રદ્ધાંજલી આપી. હુમલા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે શોક વ્યક્ત કર્યો છે. તો બીજી બાજુ શહીદોના પરિવાર અને વતનમાં શોકનો માહોલ છે.શહીદોના પરિવારજનોના આંસુ સુકાતા નથી. તો દેશની રક્ષા કાજે શહીદ થયેલા તેમના જવાનો પર ગર્વ પણ અનુભવે છે. ઘટના બાદ કોબરા કમાન્ડોએ ગોળીબાર કરતા નક્સલવાદીઓ ફરાર થયા હતાં. પરંતુ થોડા સમય બાદ નકસલીઓએ ફરીથી હુમલો કર્યો હતો. ગત્ત વર્ષે માર્ચ મહિનામાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો હતો. જેમા 11 સીઆરપીએફના જવાન શહીદ થયા હતાં.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.