પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિડ-19 (Covid-19) બાદની દુનિયામાં પ્રમુખ ભાગીદાર તરીકે અમેરિકા અને ભારતને લઈને દુનિયાભરના પ્રતિનિધિઓને સંબોધન કરશે. . ભારતીય સમય મુજબ આજે રાતે 8.30 વાગે પીએમ મોદી ઈન્ડિયા આઈડિયાઝ સમિટ (India Ideas Summit)ને સંબોધન કરશે. આ શિખર સંમેલન પર દુનિયાભરની નજર રહેશે. અમેરિકા-ભારત વેપાર પરિષદ (USIBC)એ આ સંમેલનનું આયોજન કર્યું છે. સંમેલનની થીમ સારા ભવિષ્યનું નિર્માણ છે. સંમેલનમાં બંને દેશો વચ્ચે વેપાર અને સહયોગ પર ચર્ચા થશે.
તેમનું સંબોધન આજે સ્થાનિક સમય મુજબ રાતે સાડા આઠ વાગે થશે. અત્રે જણાવવાનું કે અમેરિકા અને ભારતની મુખ્ય ભાગીદારીવાળું આ બે દિવસનું શિખર સંમેલન છે, જેને ડિજિટલ માધ્યમથી આયોજિત કરાયું છે. યુએસઆઈબીસીએ જણાવ્યું કે ‘આ શિખર સંમેલનમાં ભારત સરકાર અને અમેરિકાની સરકારના ટોચના અધિકારીઓ એક સાથે આવશે જે મહામારી બાદ બહાર આવવાની રૂપરેખા પર કામ કરી રહ્યાં છે.’