કોરોનાની મહામારીને લઇ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે આ એકદમ ઝડપથી કંઇ દુનિયાનો પીછો છોડવાનું નથી. દુનિયાને કોરોના વાયરસથી પીછો છોડાવતા લાંબો સમય લાગશે. WHOએ કહ્યું કે દુનિયા કોરોના વાયરસને ઉકેલવાના પોતાના શરૂઆતના તબક્કામાં છે. WHO મહાનિર્દેશક ટેડ્રોસ અદનોમે કહ્યું કે જે દેશોને લાગી રહ્યું છે કે તેમણે કોરોનાવાયરસ પર કાબૂ મેળવી લીધો છે ત્યાં કેસ ફરીથી વધી રહ્યા છે. આફ્રિકા, અમેરિકામાં કોરોના વાયરસના કેસ વધવાના કેસમાં સતત તેજી જોવા મળી રહી છે જે ખતરાની ઘંટડી છે.
તેમણે કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 30 જાન્યુઆરીના રોજ વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરી હતી. જેથી કરીને બધા દેશ કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ યોજના બનાવી શકે અને તૈયારી કરે. આપને જણાવી દઇએ કે અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની કોરોનાને ઉકેલવા પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશકને રાજીનામું આપવાનું પણ કહ્યું છે.