કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ નવા વર્ષની ઉજવણી અર્થે હિમવીરો સાથે મનાવવા ભારત-તિબેટ સીમા પોલીસ (આઇટીબીપી) ની માતલિ શિવીર પહોંચ્યા હતા. રાજનાથ સિંહે નવા વર્ષની શરૂઆતમાં જમ્મૂ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને લશ્કરી દળો વચ્ચે થયેલી અથડામણની કડક અાલોચના કરી હતી, તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ) ના જવાનો પર ફીદાયીન હુમલો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે શહીદ થયેલા સૈનિકોનું બલિદાન અેળે નહી જાય, સમગ્ર દેશને બહાદુર જવાનો પર ગર્વ છે. કહેવાય છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ફીદાયીન હુમલાખોરોઅે સીઆરપીએફ તાલીમ કેન્દ્ર પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ ભારતીય જવાન શહીદ થયા હતા. ભારતે જવાબી કાર્યવાહીમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બે દિવસીય પ્રવાસ દરમિયાન ચીનની સરહદે સ્પર્શેલી નિલાંગઘાટીની મુલાકાત લઈને આજે દિલ્હી પરત આવ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રીએ રવિવારના રોજ સાંજે ચાર વાગ્યે આઇટીબીપી અધિકારીઓ, જિલ્લાધિકારી અાશિષ ચૌહાણ ઉપરાંત ગંગોત્રીના ધારાસભ્ય ગોપાલ સિંહ રાવતે તેમની આગેવાનીમા આઇટીબીપીના જવાનોએ આ અવસરે તેમને સલામી અાપી હતી.અા અવસરે રાજનાથ સિંહે નિવેદન અાપ્યું હતુ કે અાતંકી હુમલામાં શહીદ જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.