અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત આજે થવા જઈ રહી છે.. આજે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. પીએમ મોદી 12 વાગ્યાને 40 મિનિટ 8 સેકન્ડ પર રામ જન્મભૂમિ પર રામ મંદિરની આધારશિલા મુકશે.
સેનિટાઇઝ કરાયું
વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલા હનુમાનગઢી મંદિરમાં સેનિટાઇઝેશન કરવામાં આવ્યું
ભૂમિપૂજનની સાથે-સાથે હવામાનમાં પલટો
અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન પહેલા હવામાનનો મિજાજ બદલાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પવન ફુંકાવાની સાથે વરસાદ પડી રહ્યો છે.
બાબા રામદેવનું ટ્વિટ
યોગ ગુરૂ બાબા રામદેવે હનુમાનગગઢી મંદિર ખાતે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક દિવસ છે. હવે ભારતમાં રામ રાજ્ય સ્થપાશે. ‘બાબરી મસ્જિદ હતી અને રહેશે’,