રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યાને તૈયાર કરવામાં આવ્યું છે. ભૂમિપૂજનનું શૂભમુહૂર્ત 12.44 વાગ્યાનું છે. પીએમ મોદી સવારે 11.30 વાગ્યે અયોધ્યા પહોંચશે. તેના માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ પરિસર અને આસપાસનો વિસ્તાર રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે.
રામ મંદિરના શિલાન્યાસની લાઈવ અપડેટઃ
પીએમ મોદીનો અયોધ્યા પ્રવાસઃ
5 ઓગસ્ટ સવારે 9:35 કલાકે દિલ્હીથી વડાપ્રધાન સ્પેશિયલ ફ્લાઈટથી લખનઉ જવા માટે રવાના થશે
→ 1 કલાક બાદ આ ફ્લાઈટ 10:35 કલાકે લખનઉ એરપોર્ટ પર લેન્ડ કરશે
→ જેના 10 મિનિટ બાદ 10:45 કલાકે વડાપ્રધાન હેલિકૉપ્ટરથી અયોધ્યા જવા માટે રવાના થશે
→ સવારે 11:30 કલાકે વડાપ્રધાન મોદી અયોધ્યાની સાકેત કૉલેજ પહોંચશે. જ્યાં હેલિપેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
→ જે બાદ 11:40 કલાકે વડાપ્રધાન હનુમાન ગઢી પહોંચશે. જ્યાં તેઓ પૂજા કરશે અને હનુમાન દાદાના દર્શન કરશે.
→ જે બાદ 12 વાગ્યા સુધીમાં PM મોદી રામ જન્મભૂમિ પરિસર પહોચશે
→ અહીં રામલલા પરિસરમાં 12:15 કલાકે PM મોદી પારિજાતનો છોડ રોપશે
→ 12:30 કલાકે વડાપ્રધાન મોદી ભૂમિ પૂજનના કાર્યક્રમનો શુભારંભ કરશે.
→ 12:40 કલાકે PM મોદીના હસ્તે રામ મંદિરની આધારશિલાની સ્થાપના કરવામાં આવશે
→ જે બાદ 1:10 વાગ્યે PM મોદી નૃત્યગોપાલ દાસ વેદાંતી જી સહિત રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ કમિટીના લોકો સાથે
મુલાકાત કરશે.
→ લગભગ 2:05 કલાકે PM મોદી સાકેત કૉલેજના હેલિપેડ માટે રવાના થશે
→ જે બાદ લગભગ 2:20 કલાકે વડાપ્રધાન મોદીનું હેલિકૉપ્ટર પરત લખનઉ જવા માટે ઉડશે.