રામ મંદીરના ભૂમિ પૂજન બાદ લોકોના મનમાં એક સવાલ છે કે લોકોના મનમાં સવાલ છે કે ભવ્ય રામ મંદિર કયાં સુધી બનીને તૈયાર થઈ જશે અને શ્રદ્ધાળુઓને રામલલાના દર્શન કરવાનો મોકો ક્યારે મળશે? એવામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે રામ મંદિર બનવાનો એક સમય નક્કી કર્યો છે અને 2024 પહેલા અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ જશે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે અયોધ્યામાં મંદિર નિર્માણ માટે સાડા ત્રણ વર્ષમાં કોઈ પણ કાળે બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. ટ્રસ્ટે મંદિર નિર્માણ માટે લાર્સન એન્ડ ટૂબ્રો કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જો કે, ટ્રસ્ટે મંદિર નિર્માણ માટે 32 મહીનાની અંદરનો સમય આપી રાખ્યો છે જેથી જો થોડું ઘણું કામ રહી જાય તો તે સમયમાં પુરું કરી શકાય છે.