24 કલાક પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ ભૂમી પૂજન કરશે. અયોધ્યાને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે. ત્યાર બાદ રામ મંદિરના નિર્માણનું કાર્ય ઝડપથી પ્રારંભ થશે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોરોનાના કારણે તમામ પ્રકારના નિયમોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી રહ્યા છે. રાયએ એ પણ માહિતી આપી હતી કે ભૂમિપૂજન માટે સાધુ સંતો સહિત કુલ 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.. પત્રકાર પરિષદને સંબોધિત કરતા ચંપત રાયે કહ્યું, આવતીકાલે સાંજ સુધીમાં બધા આમંત્રિતો અહીં પહોંચશે. RSSનાં મોહન ભાગવત, ભૈયાજી જોશી અને અન્ય અહીં આવશે. તેમણે કહ્યું કે સંત-મહાત્મા સહિત પોણા બસો લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. અમે બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અન્સારી અને ફૈઝાબાદના રહેવાસી મોહમ્મદ શરીફને પણ આમંત્રણ મોકલ્યા છે. મોહમ્મદ શરીફ તેમના ધર્મો અનુસાર મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરે છે.
સુરક્ષાબંદોબસ્ત અંગે તેમણે જણાવ્યું કે નિમંત્રણ પત્ર પર સિક્યોરિટી કોડ છે.. આ જે માત્ર એક જ વખત કામ કરશે.. જે પ્રવેશ કરશે.. તે અંદર આવ્યા બાદ બહાર નહીં જઇ શકે… કોઇ પણ ઇલેકટ્રોનિક ઉપકરણ જઇ શકશે નહીં.. દરેક કાર્ડ પર એક નંબર છે.. તેના આધારે જ પોલીસ પ્રવેશ આપશે.. કાર્યક્રમમાં મોબાઇલ.. ઇલેકટ્રોનિક ઉપકરણો.. કેમેરા લઇ જઇ શકાશે નહીં..