આવનારી 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનો શિલાન્યાસ કરશે. 5 ઓગસ્ટથી ત્રણ દશક પહેલાં જે ભૂમિ પરથી રામ મંદિર નિર્માણનો સંકલ્પ કરાયો હતો. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો સંકલ્પ સોમનાથમાં લેવાયો. તે સોમનાથની ભૂમિમાંથી આ પ્રસંગના સાક્ષીઓએ અડવાણીની રથયાત્રાના સોનેરી સંસ્મરણો તાજા કર્યા હતા.
1992માં ભાજપના નેતા એલ.કે.અડવાણીની યાત્રા પૂર્વે એક રામ યજ્ઞ થયો હતો. ત્યારે તે રામ યજ્ઞ કરાવનાર શાસ્ત્રીજીએ અતિતની વાતો સંભારી હતી. અવધમાં રામ મંદિરના નિર્માણ માટે સંકલ્પ લેવા સોમનાથ આવ્યા હોવાના સમાચારે ભારે કૌતુક ઊભુ કર્યુ અને મોટી સંખ્યામાં જનમેદની જય જય શ્રી રામ અને જય સોમનાથના નારા સાથે ઉમટી પડ્યા હતા. લાલકૃષ્ણ અડવાણી સાથે મધ્યપ્રદેશના રાજમાતા વિજયારાજે સિંધિયા પણ હાજર હતા, આ ઉપરાંત કે.કા.શાસ્ત્રીની પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ હતી.