રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જીત પટેલે આજ રોજ ગર્વનર પદેથી રાજીનામુ આપ્યું છે. રઘુનામ રાજન બાદ ગુજરાતી ગવર્નર ઉર્જીત પટેલને ગવર્નરના પદે નિમવામાં આવ્યા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમણે પોતાના અંગત કારણોને કારણે રાજીનામું આપ્યું છે.
ઉર્જીત પટેલના રાજીનામાને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી નોટબંધીથી લઈને કેન્દ્ર સરકારની નીતીઓને લઈને તેમના સરકાર સામે વિવાદો ચાલી રહ્યા હતા. ઉર્જીત પટેલ પહેલા ગવર્નર રઘુનાથ રાજને પણ આજ રીતે અચાનક રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ આ બીજી આવી ઘટનાને કારણે ખળભળાટ મચી ગયો છે. ઉર્જીત પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગર્વનરનું પદ તેમના માટે સન્માનની વાત છે પણ તેમને અંગત કારણોસર રાજીનામું આપવું પડે છે.