આજે એટલે કે મંગળવારે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank Of India-RBI) એ બે તબક્કામાં 20,000 કરોડની મતાની સરકારી સિક્યોરિટીઝ (Government Securities) નું ઓપન માર્કેટ ઓપરેશન (Open Market Operation- OMO) કરવાની જાહેરાત કરી છે. વર્તમાન અને વિકસતી પ્રવાહિતા (liquidity) અને બજારની સ્થિતિની સમીક્ષા કરીને RBIએ ઓપન માર્કેટ ઓપરેશન (ઓએમઓ) હેઠળ સરકારી સિક્યોરિટીઝની એક સાથે રૂ. 10,000 કરોડના બે તબક્કાઓમાં હરાજી કરવાનું નક્કી કર્યુ છે. આ હરાજી 27 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરના રોજ ગોઠવાશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ આ તારીખોએ સવારે 10 થી 11 દરમિયાન આરબીઆઈ કોર બેંકિંગ સોલ્યુશન ઇ-કુબેર સિસ્ટમ (E-Kuber System) પર ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં તેમની બિડ્સ અને ઓફર્સ સબમિટ કરવાના રહેશે.
જેમની બોલી મંજૂર થઇ હોય એવા લોકોએ 28 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં તેમના ચાલુ ખાતા અથવા SGL ખાતામાં બોલીની રકમ જેટલુ ભંડોળ/સિક્યોરિટીઝની ઉપલબ્ધતાની ખાતરી કરવાની જરૂરી રહેશે. RBIના OMO કે જેના હેઠળ બોન્ડ્સ એક સાથે ખરીદવામાં આવે છે અને તેને વેચવામાં આવે છે તેને ‘ઓપરેશન ટ્વિસ્ટ’ (operation twist) તરીકે ઓળખવામાં આવે છે. આ હેઠળ આરબીઆઈ લાંબા ગાળાના બોન્ડ્સ ખરીદે છે અને એક સાથે ટૂંકા ગાળાની સરકારી સિક્યોરિટીઝ (G-Sec- Government Securities) વેચે છે. ટકાઉ પર બજારમાં રૂપિયાની તરલતાની સ્થિતિને વ્યવસ્થિત કરવાના ઉદ્દેશ્ય સાથે બજારમાં જી-સેક (સરકારી સિક્યોરિટીઝ) ની ખરીદી અને ખરીદીના માર્ગ દ્વારા ઓપન માર્કેટ કામગીરી અથવા ઓએમઓ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા હાથ ધરવામાં આવે છે.
કોરોના (Corona/Covid-19) ના કારણે વિશ્વના મોટેભાગના દેશોમાં GDP 20-30 %થી નીચે આવી ગયો છે. મોટા-મોટા ધંધાઓ હજી પણ બેઠા થયા નથી. બજારમાં પૈસાનું રોટેશન (cash rotation in the market) પહેલા કરતા ખાસ્સુ નીચુ આવી ગયુ છે. ભારતની વસ્તી 135 કરોડથી વઘારે છે. ભારત સરકારે ‘આત્મનિર્ભર ભારત’ (Aatma Nirbhar Bharat) , ‘મેડ ઇન ઇન્ડિયા’ (Made In India), અને ‘બૉયકોટ ચાઇના’ (Boycott China) જેવી પહેલ કરીને દેશમાં લાંબા ગાળાના ઘણા બધા રોકાણો, રોજગારીની તકો ઊભી કરવા પર ભાર મૂકયો છે. સરકારે હાલમાં કોરોના પછી પોતાના વતન પાછા ફરેલા શ્રમિકો માટે પણ ‘ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન’ (Garib Kalyan Rojgar Abhiyaan) 50,000 કરોડના ખર્ચે શરુ કર્યુ છે.