કેન્દ્રની મોદી સરકાર માટે આરબીઆઈએ ખુશખબર આપી છે. ભારતીય રિઝર્વ બેન્કે ભારત સરકારને 1.76 લાખ કરોડ રુપિયાની સહાયતા આપવાનો નિર્ણય કર્યો છે. RBIએ બિમલ જાલાન પેનલની ભલામણોની મંજૂરી આપી દીધી છે. બિમલ જાલાનની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાના રિપોર્ટમાં આરબીઆઈના સરપ્લસ કેશ રિઝર્વના ટ્રાન્સફરનું સમર્થન કર્યું હતું અને સલાહ આપી હતી કે તેનો ઉપયોગ સરકારની મદદ માટે કરવો જોઈએ. RBI પોતાના રિઝર્વ કેશનો કુલ 28% સરકારની મદદ માટે આપવા રાજી થઈ ગયું છે.
સરકાર શું કરશે આ પૈસાનું?
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ પહેલા જ સરકારી બેન્કોમાં 70 હજાર કરોડ રુપિયાની પૂંજી નાખવાની જાહેરાત કરી ચૂક્યા છે. જેમાં બજારમાં 5 લાખ કરોડ રુપિયા આવવાની આશા છે. સરકારે બજેટમાં રિઝર્વ બેન્ક માટે 90,000 કરોડનો ડિવિડેન્ડ પ્રસ્તાવ કર્યો હતો. જે ગત વિત્ત વર્ષમાં RBI ડિવિડન્ડ તરીકે 68,000 કરોડ ચુકવ્યા હતા.