વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વej તેમના રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ દ્વારા દેશને સંબોધશે. આ મન કી બાતનો 44મો એપિસોડ હશે. મન કી બાત આજે 11 વાગ્યે પ્રસારિત કરવામાં આવી હતી. પીએમ મોદીએ રમતો પર જોર આપ્યું હતું. દેશના પહેલાં પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નહેરુની તેમની પુણ્યતિથી પર યાદ કરતા તેઓને નમન કર્યા. તેઓએ સંબોધનમાં જણાવ્યું કે, વીર સાવરકરનો જન્મ મે મહિનામાં થયો હતો અને તેઓએ 1857ની લડાઈને વિદ્રોહના બદલે આતંકવાદીની લડાઈ કહી હતી. તો નેપાળની યુવતી શિવાનીને એવરેસ્ટ સર કરવા બદલ શુભેચ્છા પણ પાઠવી હતી. તો ફિટ ઈન્ડિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ફિટ ઈન્ડિયા વિશે મોટી સંખ્યામાં લોકોનો પ્રતિભાવ મળી રહ્યો છે. વિરાટ કોહલીએ મને ફિટ ઈન્ડિયાની ચેલેન્જ આપી હતી. તો દેશમાં રમાતી રમાતો અંગે વાત કરતા પીએમે કયું કે દેશમાં ખો ખો, ગીલી દંડો, લખોટી, થપ્પો, સાતોળિયું વગેરે જેવી બાળકો દ્વારા રમાતી રમતો ઓછી થઈ રહી છે. મને ચિંતા થાય છે કે ભવિષ્યમાં આ રમતો ગાયબ ના થઈ જાય. તો પર્યાવરણ પર પોતાનો મત આપતા કહ્યુ કે, પર્યાવરણની રક્ષા >રવી એ આપણા સૌની ફરજ છે. આપણી સંસ્કૃતિએ આપણને પ્રકૃતિ સાથે સંઘર્ષ કરવાનું નથી શીખવ્યું. તો આવો પર્યાવરણ દિવસે વિશ્વને સ્વચ્છ બનાવવા વિચાર કરીએ અને વૃક્ષો વાવીએ. સમગ્ર વિશ્વ 21મી જૂને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે તૈયાર છે. તો દેશવાસીઓને હું અપીલ કરુ છું કે તેઓ આ પરંપરાને આગળ વધારે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.