ગલવાન વેલીમાં ભારત-ચીન અથડામણમાં ચીનની દગાબાજીથી ભારતે દેશનાં 20 વીર સપુતોને ગુમાવ્યાં છે. હવે ભારતે ચીનને આર્થિક રીતે પાઠ શિખવવાનું વિચાર્યું છે. ભારતે સરકારી ટેલિકોમ કંપનીઓને તમામ ચીની ઉપકરણોનાં ઉપયોગ પર પ્રતિબંધ લાદવાનું કહ્યું હતું. અને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાષણનાં થોડાક કલાકોમાં જ ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL) અને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ(MTNL)દ્વારા ચીન સાથેનાં કરારોને રદ કરવાામાંં આવ્યાં હતાં
જવાનોનાં શહાદતને સરળતાથી ભુલી શકાય નહી. સીમા પર જેવી રીતે ચીને દગાબાજી કરીને દેશનાં 20 જવાનોને માર્યો એવામાં ભારતીય જવાનોએ પણ ચીની દગાબાજોનો ખડેપગે મુકાબલો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બુધવારે તેમને લોકો સમક્ષ જણાવ્યું હતું કે ભારત હંમેશા વિશ્વમાં શાંતિ અને માનવ કલ્યાણની કામના કરી છે. અને પડોસી દેશો સાથે સારા સંબંધો રાખ્યાં છે અને સાથે કાર્ય કર્યું છે. ભારત શાંતિ ઈચ્છે છે એનો મતલબ એ નથી કે ભારતને ઉષ્કેરવાથી દેશ જવાબ આપવા પણ સક્ષમ છે.