બોમ્બે હાઈકોર્ટે મંગળવારે ચૂકાદો આપ્યો હતો કે જો કોઈ વ્યક્તિને બે પત્નીઓ હોય અને બંને તેના ધન ઉપર દાવો કરે છે તો માત્ર પહેલી જ પત્નીનો તેના ઉપર અધિકાર છે. પરંતુ બંને લગ્થી થયેલા બાળકોને તે ધન મળશે. ન્યાયમૂપ્તિ એસ. જે. કથાવાલા અને ન્યાયમૂર્તિ માધવ જમાદારની પીઠે આ મૌખિક ટીપ્પણી કરી છે. રાજ્ય સરકારે જણાવ્યું કે, હાઈકોર્ટની ઓરંગાબાદ પીઠે આ પ્રકારનો નિર્ણય પહેલા જ આપ્યો હતો બાદમાં તેણે આ ટીપ્પણી કરી હતી.
ન્યાયમૂર્તિ કથાવાલાની અધ્યક્ષતાવાળી પીઠ મહારાષ્ટ્ર રેલ્વે પોલીસ દળના સહાયક ઉપનિરીક્ષક સુરેશ હાટનકરની બીજી પત્ની તરફથી કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરી રહી છે. હાટનકરની 30 મેના રોજ કોવિડ-19થી મોત થઈ ગયું છે. રાજ્ય સરકારના પ્રસ્તાવ પ્રમાણે ડ્યુટી દરમયાન કોવિડ-19થી મરનારા પોલીસકર્મીઓને 65 લાખનું વળતર આપવાનું કહેવામાં આવ્યું છે. જે બાદ હાટનકરની પત્ની હોવાનો દાવો કરનારી મહિલાએ આ રકમ ઉપર પોતાનો હક્ક જતાવ્યો હતો.