Shashi Tharoor Controversy: સર્જિકલ સ્ટ્રાઈક પર નિવેદનથી રાજકીય ગરમાવો, કોંગ્રેસની નારાજગી સામે થરૂરનો સ્પષ્ટ જવાબ
Shashi Tharoor Controversy: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. પનામામાં ભારતીય પ્રતિનિધિમંડળના ભાગરૂપે હાજરી આપતી વખતે કરેલા નિવેદનના કારણે રાજકીય ઘમાસાણ સર્જાયું છે. થરૂરે તેમના સંબોધનમાં કહ્યું હતું કે “ભાજપના શાસનમાં પહેલીવાર સરહદ પાર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી.” આ નિવેદનને લઈને તેઓ ભાજપ સમર્થકોના વખાણના પાત્ર બન્યા છે તો બીજી તરફ પોતાની જ પાર્ટી કોંગ્રેસની અંદરથી પણ તીવ્ર પ્રતિસાદો સામે આવી રહ્યા છે.
થરૂરના નિવેદન બાદ કોંગ્રેસ હાઇકમાન્ડએ અસંતોષ વ્યક્ત કર્યો છે. પાર્ટીના નેતા ઉદિત રાજે તો સીધા તેમણે “ભાજપના સુપર પ્રવક્તા” તરીકે સંબોધ્યા અને આરોપ લગાવ્યો કે થરૂર એવી વાતો કહી રહ્યા છે કે જે ભાજપના નેતાઓ પણ જાહેરમાં ન કહેતા હોય. તેમણે તીખી ટીકા કરતા કહ્યું કે થરૂર ભાજપને ફાયદો પહોંચાડે તેવી ભાષા વાપરી રહ્યાં છે, જે કોંગ્રેસ માટે નુકસાનદાયક છે.
શશિ થરૂરે વિવાદ અંગે પોતાનું સ્પષ્ટીકરણ આપતાં કહ્યું કે તેમના નિવેદનનો અર્થ ભુલવામાં આવ્યો છે. તેમણે X (અગાઉ ટ્વિટર) પર સ્પષ્ટતા કરતાં લખ્યું, “મારી ટિપ્પણી આતંકવાદી હુમલાઓના પ્રતિસાદમાં થયેલા તાજેતરના લશ્કરી પગલાંઓ વિશે હતી, ન કે સમગ્ર લશ્કરી ઇતિહાસ વિશે.” તેઓએ કહ્યું કે લોકો મારા શબ્દોને વિકૃત કરીને રાજકીય હિત માટે ઉપયોગ કરે છે, પણ મારી પાસે ટ્રોલ્સ અને ટીકાકારો માટે સમય નથી.
After a long and successful day in Panama, i have to wind up at midnightvhere with departure for Bogota, Colombia in six hours, so I don’t really have time for this — but anyway: For those zealots fulminating about my supposed ignorance of Indian valour across the LoC: in tge…
— Shashi Tharoor (@ShashiTharoor) May 29, 2025
આ સાથે થરૂરે પોતાનો વ્યસ્ત કાર્યક્રમ જણાવીને કહ્યું કે “હવે મને મધ્યરાત્રે પનામાથી બોગોટા જવું છે, જેથી વધુ મહત્વના કામ માટે હું તૈયાર રહું. મારું ધ્યાન નકારાત્મક વિવાદોમાં નહીં પરંતુ જવાબદાર દાયિત્વોમાં છે.”
આ સમગ્ર ઘટનાક્રમમાંથી સ્પષ્ટ થાય છે કે શશિ થરૂરના નિવેદનોએ ન માત્ર રાજકીય ઘર્ષણ ઊભું કર્યું છે, પરંતુ કોંગ્રેસની અંદર રહેલા આંતરિક મતભેદો પણ ઉજાગર કર્યા છે. જો કે થરૂરે પોતાનું મૌલિક વલણ જાળવીને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે તેઓના ધ્યેયમાં દેશના પ્રતિનિધિત્વ અને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ સામે ભારતની ભાવનાનું પ્રતિનિધિત્વ કરવું છે – ન કે આંતરિક રાજકીય વિવાદોમાં ફસાવું.