Shashi Tharoor થરૂરના મોદીની પ્રશંસાને લઈ રાજકીય ગરમાવો
Shashi Tharoor કોંગ્રેસના પ્રવક્તા અને તિરુવનંતપુરમથી સાંસદ શશિ થરૂરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા એક લેખે કોંગ્રેસની અંદર ચર્ચા અને મતભેદોને જન્મ આપ્યો છે. તેઓએ તેમના લેખમાં વડાપ્રધાન મોદીની ઊર્જા, આંતરરાષ્ટ્રીય મંચ પરની હાજરી અને ભારતને વિશ્વમાં પ્રતિષ્ઠિત બનાવવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી છે.
આ લેખ બાદથી થરૂર ફરી એકવાર પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ સામે પ્રશ્નચિહ્ન બની ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ થરૂર પર કટાક્ષ કરતા કહ્યું કે, “મને અંગ્રેજી સમજાતી નથી, પરંતુ થરૂરને ભાષા પર પકડ છે, તેથી જ તેમને CWC સભ્ય બનાવ્યા છે. અમે હંમેશાં કહેલું છે કે દેશ પહેલા આવે છે, પણ કેટલીક જગ્યાએ લોકો માને છે કે મોદી પહેલા આવે છે.”
થરૂરની પોસ્ટ પર નવી ચર્ચા
ખડગેના આ નિવેદન પછી શશિ થરૂરે X (હાલનું ટ્વિટર) પર એક પ્રેરણાત્મક પોસ્ટ કરીને વધુ ચર્ચા જગાવી. તેમણે લખ્યું: “ઉડવાની પરવાનગી ન માગો. પાંખો તમારી છે અને આકાશ કોઈનું નથી.” રાજકીય વર્તુળોમાં આ પોસ્ટને તેમનો અંતર્મન શબ્દ સમજીને ચર્ચાઓ શરૂ થઈ છે કે શું થરૂર હવે કોંગ્રેસથી દ્વિધા માં છે?
કોંગ્રેસનો અધિકૃત વલણ સ્પષ્ટ
શશિ થરૂરના લેખને લઇ કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું કે એ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે અને કોંગ્રેસ પક્ષનું સત્તાવાર વલણ નથી. તેમણે કેન્દ્રની વિદેશ નીતિને નિષ્ફળતા ગણાવતાં કહ્યું કે, સરકાર આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પૂરતી અસરકારકતા દાખવી શકી નથી.
વિવાદનો મૂળારંભ: ઓપરેશન સિંદૂર પછીનો દ્રશ્ય
આ પહેલા પણ, ઓપરેશન સિંદૂર દરમિયાન શશિ થરૂર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં સામેલ થયા ત્યારે પણ પક્ષમાં અસહમતિ જોવા મળી હતી. હવે તેમના લેખ અને તેની ભાષાની પ્રશંસાથી, કોંગ્રેસના આંતરિક મતભેદ વધુ સ્પષ્ટ થઈ રહ્યા છે.
શું થરૂરનો કોંગ્રેસથી વિશ્વાસ હળવો થયો છે?
શશિ થરૂર લાંબા સમયથી કોંગ્રેસના વિચારો સાથે જુદી રીતે વાત કરતા રહ્યા છે. આવી સ્થિતિમાં રાજકીય વિશ્લેષકો માને છે કે તેવું સંકેત મળે છે કે થરૂર હવે પાર્ટીના અંદર સ્થિતીથી અસ્તવ્યસ્ત છે અને કદાચ આગામી સમયમાં તેઓ પોતાનો અલગ માર્ગ પસંદ કરી શકે છે.