રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ એ આજે સવારે શ્રીનગરથી હીઝબુલ મુઝાહીદ્દીનના વડા સૈયદ સલાઉદીનના પુત્ર સૈયદ શકીલ અહેમદની તેના ઘરેથી ધરપકડ કરી છે. આ ધરપકડ આતંકી ફન્ડીંગના મામલામાં કરવામાં આવી છે. એનઆઈએના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી કેટલાક ચોંકાવનારા દસ્તાવેજો મળ્યા. જેના આધારે સૈયદ શકીલ અહેમદની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૈયદ શકીલ અહેમદને એનઆઈએ એ પોતાની વાત રાખવા માટે ત્રણ ચાર વખત તક આપી હતી પરંતુ તેણે ૨૦૧૧ના ટેરર ફન્ડીંગના અકીલા કેસના મામલામાં કોઈ પણ માહિતી એજન્સીને આપી નહોતી. જાણવા મળે છે કે તેની પાસે મની ટ્રાન્જેકશન અને વિદેશમાં મોજુદ સલાઉદ્દીનના પુત્રોના ખાતા અંગે વિસ્તૃત માહિતી છે. આ પહેલા પણ એનઆઈએ એ સલાઉદ્દીનના એક પુત્રની ધરપકડ કરી હતી. તેની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી સૈયદ સાહીદ દિલ્હીની તિહાર જેલમાં છે. એનઆઈએ એ સલાઉદ્દીનના પુત્રને શ્રીનગરના રામબાગ વિસ્તારમાંથી પકડી લીધો હતો. તે શ્રીનગરની શેરે કશ્મીર ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સમાં મેડીકલ આસિ. છે. બીજો પુત્ર જાવેદ બડગામમાં જ ઝોનલ એજ્યુ. વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર છે. ત્રીજો પુત્ર સાહીદ યુસુફ કૃષિ વિભાગમાં કામ કરે છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.