લખનૌથી કોરોના સંક્રમિત ઘણા દર્દીઓ અચાનક ગાયબ થઈ ગયા છે. સરકારી રેકોર્ડમાં ખોટા નામ, સરનામા અને મોબાઈલ નંબર્સ નોંધાયા અને ગાયબ થઈ ગયા. વિભાગમાં હંગામો થયા બાદ તેની યાદી પોલીસ સર્વેલન્સ ટીમને સોંપવામાં આવી હતી.
પોલીસે ભારે મુશ્કેલી સાથે 1,171 કોરોના પોઝિટિવ દર્દીઓને શોધી કાઠ્યા છે. વળી, 1,119 દર્દીઓ હજુ પણ ગુમ છે. શોધખોળ ચાલી રહી છે. તારીખ 23 થી 31 જુલાઇની વચ્ચે આ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ બધા ગાયબ થઈ ગયા હતા. જ્યારે વહીવટીતંત્રએ તેમના નામો અને સરનામાઓની તપાસ કરી તો તે બનાવટી હોવાનું જાણવા મળ્યું હતુ. જે બાદ તેમની યાદી પોલીસને સોંપવામાં આવી હતી. હવે સર્વેલન્સ ટીમ આ દર્દીઓની શોધ કરી રહી છે.