રેલમંત્રીએ રાજ્યસભામાં માહિતી આપી હતી કે શ્રમિક સ્પેશિયલ ટ્રેન (Shramik Special Train) માં મુસાફરી દરમિયાન 97 લોકોનાં મૃત્યુ થયાં હતાં, સરકારે પ્રથમ વખત કબૂલ્યુ હતું કે કોવિડ-19 લૉકડાઉન (Covid-19 Lockdown) દરમિયાન તેમને પોતાના વતન લઈ જવા માટે ચલાવવામાં આવેલી વિશેષ ટ્રેનોમાં પરપ્રાંતિય મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયને (TMC Derek O’Brien) શુક્રવારે પ્રશ્ન કર્યો હતો જેના લેખિત જવાબમાં રેલવે પ્રધાન પિયુષ ગોયલે (Rail Minister Piyush Goyal) સંસદના ઉપલા ગૃહને માહિતી આપી હતી.
રાજ્ય પોલીસ દ્વારા આપવામાં આવેલા આંકડાઓના આધારે વર્તમાનની કોવિડ-19 કટોકટીની સ્થિતિ દરમિયાન શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરતા સમયે 9 સપ્ટેમ્બર 2020 સુધી 97 લોકોનાં મૃત્યુ થયાં હતાં, એમ ગોયલે કહ્યું હતું. 97 મામલાઓ પૈકી રાજ્ય પોલીસે 87 કેસમાં મૃતદેહને પોસ્ટ માર્ટમ માટે મોકલ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.