કોરોના સંક્રમણ વચ્ચે CBSE એ કોર્ષ ઘટાડતા ગુજરાત શિક્ષણ બોર્ડે (Gujarat Education Board) પણ મોટા ઉપાડે કોર્ષમાં ઘટાડો કરવા માટે સમિતિની રચના તો કરી દીધી પણ અમલ નહિ થતા વિદ્યાર્થીઓ (Students) અભ્યાસની તૈયારીને લઈ મુંઝવણમાં છે. એક તરફ તમામ શાળામાં ઓનલાઈન એજ્યુકેશન શરુ કરવામાં આવ્યું છે તો બીજી તરફ કોર્ષમાં ઘટાડા અંગે કોઈ પણ પ્રકારની રજૂઆત ન કરાતા તમામ કોર્ષની તૈયારી કરવી કે નહીં તે અંગે વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે.
કોરોના સંક્રમણને કારણે શાળાઓ શરૂ થઈ નથી ત્યારે હાલ શાળાઓમાં ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે 1 મહિના અગાઉ CBSE બોર્ડ દ્વારા કોર્ષમાં ઘટાડાની જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પણ એક સમિતિની રચના કરી કોર્ષમાં ઘટાડો કરાશે તેવી જાહેરાત કરાઈ હતી. પરંતુ સમિતિ બનાવ્યાને 1 મહિનો વીતવા છતાં હજુ સુધી કોર્ષ ઘટાડાની કોઈ જાહેરાત સમિતિ કે શિક્ષણ વિભાગ (Education Department) તરફથી થઈ નથી ત્યારે ધોરણ 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓ એ બાબતે ચિંતિત છે કે, હાલ ચાલી રહેલો કોર્ષ બાદમાં બાકાત ના કરી દેવામાં આવે ત્યારે આ મામલે ધોરણ 12ના શિક્ષકે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તાત્કાલિક કોર્ષ ઘટાડા અંગે નિર્ણય લેવો જોઈએ. જેથી વિદ્યાર્થીઓને પણ એક ક્લિયર વિઝન મળે અને તેઓને શું અભ્યાસ કરવાનો છે તેની સમજ પડે પરીક્ષા આપવાની રહેતી હોય છે. CBSE એ કોર્ષમાં જ્યારે ઘટાડો કર્યો છે ત્યારે રાજ્ય સરકારને શુ સમસ્યા નડી રહી છે? આ બાબતે સરકારે તાત્કાલિક નિર્ણય લઈ કોર્ષ ઘટાડાની જાહેરાત સ્પષ્ટતા સાથે કરવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ અંગે યોગ્ય નિર્ણય લઈ શકે.
જણાવી દઈએ કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પણ એક સમિતિની રચના કરી કોર્ષમાં ઘટાડો કરાશે તેવી જાહેરાત કરાઈ હતી. પરંતુ સમિતિ બનાવ્યાને 1 મહિનો વીતવા છતાં હજુ સુધી કોર્ષ ઘટાડાની કોઈ જાહેરાત સમિતિ કે શિક્ષણ વિભાગ તરફથી થઈ નથી ત્યારે ધોરણ 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. આ વર્ષે વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાયું છે. ક્યાંક ઓનલાઈન અભ્યાસમાં તો ક્યાંક ચોપડીઓ બાબતે વિદ્યાર્થીઓને મુશ્કેલી નડી રહી છે. ત્યારે હવે કયા ચેપ્ટર કોર્ષમાં છે, કયા વાંચવા અને કયા નહીં તે બાબતે પણ વિદ્યાર્થીઓમાં મુંઝવણ જોવા મળી રહી છે.