કોરોનાને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે શરતો સાથે રથયાત્રાની પરવાનગી આપી છે. કોરોના વાયરસ સંક્રમણને કારણે પુરી રથયાત્રા પર રોક વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેટલીક અરજી કરવામાં આવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્લેગ મહામારી દરમિયાન પણ રથયાત્રા લિમિટેડ નિયમો અને શ્રદ્ધાળુઓ વચ્ચે યોજાઇ હતી.
ગૃહ મંત્રી અમિત શાહે જગન્નાથ રથયાત્રાને મંજૂરી મળ્યા બાદ ઓરિસ્સાના લોકોને શુભેચ્છા પાઠવી છે. અમિત શાહે કહ્યું, ‘આજનો દિવસ આપણા બધા માટે એક ખાસ છે, ખાસ કરીને આપણા ઓરિસ્સાના ભાઇઓ અને બહેનો સાથે સાથે મહાપ્રભુ શ્રી જગન્નાથજીના ભક્તો માટે. રથયાત્રા ચાલતી રહે, આ સુનિશ્ચિત કરવા સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આખો દેશ પ્રસન્ન છે.’ અમિત શાહે આગળ જણાવ્યુ કે કેસની તાત્કાલિક અને મહત્વને જોતા, તેને સુપ્રીમ કોર્ટની એક પીઠ સામે રાખવામાં આવ્યો અને સુનાવણી બપોરે યોજાઇ હતી.