પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના પરિવાર સાથે કરવામાં આવેલી ગેરવર્તૂણકને લઇને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આજે સંસદના બંને સદનમાં આ મુ્દે નિવેદન આપ્યું છે.પાકિસ્તાને જાધવના માતા-પત્નીનું અપમાન કર્યું. માતા-પત્નીના બંગડી, ચાંદલો, મંગળસૂત્ર ઉતારી દેવામાં આવ્યાં.
પાકિસ્તાની મિડીયાએ જાધવના પરિવાર સાથે ગેરવર્તૂણક કરી હતી. ભારતના ડે. કમિશનરને જાણ કર્યા વગર પરિવારને લઇ જવામાં આવ્યો હતો. પાકિસ્તાને એક તરફી કેસ ચલાવ્યો છે. જાધવ અને તેમના પરિવારને મરાઠીમાં વાત કરતા રોકવામાં આવ્યા હતા.
પાકિસ્તાને કુલભૂષણ જાધવની પત્નીની ઉતરાવેલા જુતાઓને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.પાકનો દાવો છે કે જ્યારે મુલાકાત માટે જાધવની પત્ની વિદેશ મંત્રાલયની કચેરીએ પહોંચ્યા ત્યારે તેમના જુતાઓમાં ‘ધાતુઓની વસ્તુ’ જોવા મળી હતી. પાકિસ્તાની અધિકારી હવે આ શંકાસ્પદ વસ્તુની ચકાસણી કરવા માટે ફોરેન્સીક લેબ મોકલશે ત્યારે સુષમા સ્વરાજે અા મુદે કહ્યું હતુ કે અાટલી ટાઈટ સિક્યોરિટી હોય ત્યારે અા કેવી રીતે શક્ય બને, પાકિસ્તાન કોઈ ષડયંત્ર કરી રહ્યું છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.