તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનો કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાયો હતો. હાલ તેમની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે. તેમને ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચેન્નઈના કાવેરી હોસ્પીટલે રવિવારે આ જાણકારી આપી હતી કે, રાજ્યપાલને ઘરમાં જ પૃથકવાસમાં રહેવાની સલાહ આપવામાં આવી છે, જ્યાં હોસ્પીટલે ડૉક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખશે. રવિવારે સવારે તેમને હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા.જેની થોડી કલાકો બાદ જ તેમને કોરોના પોઝિટિવ હોવાની રીપોર્ટ આવી છે. કાવેરી હોસ્પીટલના એક અધિકારીએ કહ્યુ કે, હાલ રાજ્યપાલની હાલત સ્થિર છે.
ઉત્તરપ્રદેશ ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની કોરોના રીપોર્ટ પોઝિટીવ નોંધાયો છે. સ્વતંત્ર દેવ સિંહે ખુદ ટ્વીટ કરી તેની જાણકારી આપતા લખ્યુ છે કે, મને કોરોનાના શરૂઆતી લક્ષણ દેખાઈ રહ્યા છે, જેના કારણે મેં પોતાની કોવિડ-19ની તપાસ કરાવી. તપાસમાં મારો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવી છે. મારા સંપર્કમાં આવનારા તમામ લોકોને હું વિનંતી કરું છું કે, માર્ગદર્શિકા મુજબ પોતાને અલગ રાખવા અને તમારી તપાસ જરૂરીયાત મુજબ કરાવવા.