દિક્ષણ કાશ્મીરના પુલવામા અને કુપવાડાના તંગદર વિસ્તારમાં ફરી એક વાર આતંકીઓની પ્રવૃત્તિ જોવા મળી છે. આ વિસ્તારમાં આતંકીઓ ઘૂસી ગયા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ચોમેરથી કોર્ડન કરી લીધો છે અને આતંકીઓને પકડવા માટે સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
અહેવાલો અનુસાર જમ્મુ-કાશ્મીરમાં વધુ એક વખત ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યા છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર દિક્ષણ કાશ્મીરના પુલવામા અને કુપવાડાના તંગદર વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા છે. આ બાતમીના આધારે ભારતીય સુરક્ષાદળોઅે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અા અગાઉ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં પાંચ આતંકીઓ ઠાર મરાયા હતા. આ અગાઉ હિઝબુલ આતંકીની ધમકી બાદ શોપિયા જિલ્લામાંથી કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના આતંકીઓએ અપહરણ કર્યા હતા અને ત્યાર બાદ ત્રણ પોલીસ કર્મચારીઓની હત્યા કરી હતી.બાંદીપોરાના સુલમરમાં કેટલાક આતંકીઓ છુપાયા છે એવા ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.