અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનની તૈયારીઓ જોર શોરથી અયોધ્યામાં ચાલી રહી છે. અયોધ્યામાં રામ મંદિર માટે 5 ઓગસ્ટે ભૂમિપૂજન થશે. આ તૈયારીઓની ખાસ તકેદારી માટે આજે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા જશે. પીએમ મોદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે.
આજથી જ અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ શરૂ થશે. આજથી 3 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમની શરૂઆત ગૌરી-ગણેશ પૂજાની સાથે થશે. સવારે 21 પુરોહિત ગૌરી ગણેશનું આહ્વાહન કરીને શિલાન્યાસ કાર્યક્રમની શરૂઆત કરશે.મળતી માહિતી અનુસાર આજે સીએમ યોગી અયોધ્યા પહોંચશે.
અયોધ્યામાં સીએમ યોગી રામ જન્મભૂમિ પરિસરની નજીક માનસ ભવનમાં તમામ અધિકારીઓ સાથે તૈયારીઓ અંગે ચર્ચા કરશે. આ સાથે પરિસરમાં બની રહેલા પંડાલ, સડક અને અન્ય તૈયારીઓની સાથે કોવિડ પ્રોટોકોલના આધારે કરાઈ રહેલી તૈયારીઓ અંગે પણ ચર્ચા કરશે.