અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કષગમ (અન્નાદ્રમુક)ના પ્રમુખ અને તમિલનાડુના મુખ્યમંત્રી જે જયલલિતા (અમ્મા) ની આજે પ્રથમ વરસી છે. 5 ડિસેમ્બર 2016, જ્યારે તેમના નિધનના સમાચાર ટીવી ન્યૂઝ ચેનલો પર અાવ્યા હતા ત્યારે લોકોને વિશ્વાસ નહોતો થયો કે હવે અમ્મા તેમની વચ્ચે નથી રહ્યાં ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં જયલલિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.
74 દિવસ મોત સામે લડનાર જયલલિતાઅે 5 ડિસેમ્બરે 68 વર્ષની વયે ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું.
(અમ્મા)ની લોકપ્રિયતાનો અંદાજ અે વાતથી જ અાવી જાય છે કે તેમની બીમારીના અને નિધનના સમાચાર મળતા જ 2016માં 470 લોકોએ જાન અાપી દીધી હતી. અમ્માના ચાહકોએ વિશાળ રેલી કરી તેમને શ્રદ્ધાંજલિ અાપી હતી.8 જિલ્લામાંથી 4000થી વધુ પોલિસને ચેન્નઈમાં ખડેપગે રખાયા છે જેથી દુર્ઘટના ન થાય. સમગ્ર શહેરમાં જયલલિતાના હોર્ડિગ્સ, બેનર લગાવવામાં અાવ્યા છે.