ગરુડ પુરાણ માં સ્વર્ગ, નરક, પાપ, પુણ્ય, મૃત્યુ ઉપરાંત વિજ્ઞાન, ભક્તિ, નૈતિકતા, નીતિ, નિયમો અને ધર્મથી સંબંધિત ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વાતોને અપનાવીને, વ્યક્તિ સફળતા અને સમૃદ્ધ જીવન તરફ આગળ વધે છે. ભગવાન વિષ્ણુના જણાવ્યા મુજબ કેટલીક આદતો છે જે સફળતાના માર્ગમાં અવરોધ બની જાય છે. સફળતા પ્રાપ્ત કરવા માટે, કેટલીક ખરાબ ટેવો છોડી દેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો તમને જણાવીએ કે ગરુડ પુરાણમાં આવી કઈ આદતો વિશે વાત કરવામાં આવી છે.ગરુડ પુરાણ મુજબ ક્રોધ હંમેશા નાશ કરાવે છે. ક્રોધમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. જે લોકો ગુસ્સા પર નિયંત્રણ રાખવામાં અસમર્થ હોય છે, તેઓ ઘણીવાર ખોટા નિર્ણયો લે છે અને હાથમાં આવેલી તક ગુમાવી બેસે છે. આ જ કારણ છે કે ક્રોધને માણસનો દુશ્મન માનવામાં આવે છે. તેથી, તમારા ક્રોધને કાબૂમાં રાખતા શીખો. ભગવાન વિષ્ણુ કહે છે કે ઈર્ષ્યા વ્યક્તિને અંદરથી કોરી ખાય છે. આ કારણે વ્યક્તિ પોતાનું જ ખરાબ કરી બેસે છે. જો કોઈ વ્યક્તિ સફળ થાય, તો તેના પ્રત્યેની ઇર્ષા કરવાને બદલે, તેની યોગ્યતાઓ પર ધ્યાન આપો. તેને સફળતા મળે છે તેવું તેનામાં શું ભિન્ન છે તે જોવાનો પ્રયાસ કરો. જો તમે શીખવાની ભાવના રાખો છો, તો તમે હંમેશાં આગળ વધશો કારણ કે જે લોકોને ઈર્ષ્યા થાય છે તે સફળતાથી દૂર રહે છે. ગરુડ પુરાણ અનુસાર, આળસ એ એક એવુ અવગુણ છે જે વ્યક્તિને હંમેશા પાછળની તરફ ધકેલી દે છે. જો તમે સમયસર તેને દૂર કરશો નહીં, તો પછી તમે આળસને કારણે ઘણી તકો ગુમાવશો. શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેવા માટે, વહેલી સવારે ઉઠો અને ભગવાનનું ધ્યાન કરો.